17માં સત્રમાં વરાયેલા પ્રમુખશ્રી

ડો.જયેન્દ્ર પુરુષોત્તમદાસ રાણપુરા બી.ડી.એસ. (ડેન્ટીસ્ટ) જન્મ. તા. 26-04-1954

મહામંડળના 17માં સત્રના વરાયેલા પ્રમુખશ્રી ડો.જયેન્દ્રભાઈ રાણપુરા ના પિતાશ્રી પુરષોત્તમદાસ અંબારામભાઈ રાણપુરા કે જેઓ સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત પરિવારોમાંના એક હતા.

રાજકોટ સ્થાનિક ઝાલાવાડી શ્રીમાળી સોની સમાજના તેઓ અગ્રણી દાતા હતા.મહામંડળમાં તેમનો પરિવાર પણ અગ્રણી દાતા છે.

મહામંડળની 13મી પરિષદ ગાંધીનગર મુકામે યોજાયેલી તેમાં તેઓએ ભોજનદાતા તરીકે સેવાઓ આપેલી હતી.મહામંડળના ચાલતા રિઝર્વ ફંડોમાંના એક છાત્રાલય ભોજન સહાયક રિઝર્વ ફંડમાં પણ તેઓએ માતબર રકમનું દાન આપેલું હતું.

રાજકોટ ખાતે આવેલ મહામંડળ સંચાલિત શ્રીમાળી સોની સદનમાં પણ આ પરિવાર તરફથી મુખ્ય હોલના દાતા તરીકે સેવાઓ મળેલ હતી.રાજકોટ સ્થાનિક મંડળોમાં પણ તેમણે માતબર રકમના દાન સાથે અમૂલ્ય સેવાઓં આપેલ છે.

શ્રી ડો.જયેન્દ્રભાઈ મહામંડળમાં 14માં સત્ર દરમિયાન ટ્રસ્ટી તરીકે સેવાઓ આપેલ હતી તથા 15માં સત્રમાં મેનેજીંગ ટ્રસ્ટી અને શ્રીમાળી સોની જાગૃતિના સહતંત્રી તરીકે સેવાઓ આપેલ હતી.સ્વભાવે મિલનસાર અને સરળ સ્વભાવ ધરાવતા શ્રી ડો.જયેન્દ્રભાઈ ધાર્મિક ક્ષેત્રે પણ અનુદાન આપતા રહે છે અને ધંધાકીય ક્ષેત્રમાં પણ તેઓ અગ્રેસર છે.તેઓશ્રીના બે સુપુત્રો છે.જેમાં એક સુપુત્ર કુણાલભાઈ અમેરિકામાં ન્યુજર્સી ખાતે વસવાટ કરે છે અને સોફ્ટવેર એન્જીનીયર છે.બીજા સુપુત્ર ક્રિષ્નાભાઈ શિવરંજની-શ્યામલ ક્રોસરોડ ખાતે મલ્ટી સ્પેશિયાલિટી સ્તવ્ય ડેન્ટલ હોસ્પિટલ ધરાવે છે.

શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ 17માં સત્ર માટે તેમની વરણી તથા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે.

પ્રમુખ અને મેનેજીંગ ટ્રસ્ટી
શ્રી ડો.જયેન્દ્રભાઈ પુરષોત્તમદાસ રાણપુરા
સ્તવ્ય ડેન્ટલ હોસ્પિટલ
અપર ફ્લોર,તીર્થજળ,આઈસીઆઈસીઆઈ બેન્કની સામે,
132 ફૂટ રીંગ રોડ,શિવરંજની-શ્યામલ ક્રોસ રોડ,સેટેલાઇટ,અમદાવાદ-380015.
મોં.99740 99727